જે માનતો નથી એ કદી નહી કહી શકું,
સાવ જ અમસ્તી લાગણીમાં નહી વહી શકું;
સહુનો મળે ન પ્રેમ તો એ ચાલશે મને,
સહુ અવગણે મને તો હું એ નહી સહી શકું;
આ થાય, આ ન થાય, આ કરાય, ના કરાય;
તમને ગમે એ રીતથી તો નહી રહી શકું!
સાચું જો કહેવા જઇશ તો માર્યો જઈશ, ને-
ખોટું મરી જઈશ છતાં નહી કહી શકું!
આ બસ ખુમારી છે જે ટકાવી રહી મને;
એના વિના હું ક્યાંય ટકી નહી રહી શકું.
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment