Thursday 19 April 2018

અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે;

તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશા થાય છે;

કોણ જાણે શું હવે દઈને જશે,
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે;

આંસુઓએ બેધડક પૂછી લીધું!
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?

આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે;

હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.

: હિમલ પંડ્યા 

No comments:

Post a Comment