કોણ જાણે શું લખ્યું છે ચોપડે?
કે ખુશીની એક પળ પણ ના જડે!
દર્દને પસવારતા શીખવું પડે,
એમ થોડું સુખ સહુને સાંપડે?
કુંડળી ખોલી, તો એ બોલી ઊઠી,
પૂર્વગ્રહ સિવાય બીજું શું નડે?
રણ સમયનું વિસ્તર્યા કરતું સતત,
આ હરણ ઈચ્છાનું કેવું તરફડે?
આ હકીકતનું છે સમરાંગણ અને-
ત્યાં જુઓ! સપનાંઓની લાશો સડે
છેક ભીતર યાદને ધરબી છતાં,
આંખથી આ એકધારું શું દડે?
જિંદગીથી માંડ સંતાયા હો ને-
મોત તમને શોધતું આવી ચડે!
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment